હવે રિયલ એસ્ટેટમાં દિવાળી  / બિલ્ડરો દુબઈની જેમ 50-60 માળના ફ્લેટ બનાવે, હું સ્પેશિયલ પરમિશન આપીશ: CM

અમદાવાદ: ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહવાન કર્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટમાં દુબઈ, સિંગાપોરની જેવા 50 થી 60 માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત રૂપાણીએ કરી હતી.

45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર ચારની એફએસઆઈ અપાશે

ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દિવાળી લાવવા અંગેની જાહેરાતો પણ રૂપાણીએ કરી હતી. બે વર્ષ પહેલા જાહેર કરેલા કોમન જીડીસીઆર(ક્રોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન)ના ફાઈનલ નોટિફીકેશન ઈશ્યૂ કરાયું હતુ. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત ઉપરાંત પાલનપૂર, મહેસાણા, આણંદ સહિતના શહેરોમાં 36 મીટરથી 44 મીટરના રસ્તા ઉપર મહત્તમ 3.6 એફએસઆઈ તથા 45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર ચારની એફએસઆઈ અપાશે. જેમાં બેઝ એફએસઆઈ 1.5 અથવા વધુ હોય તો તેમાં બાકીની એફએસઆઈ ચાર્જેબલ ગણાશે. આ ઉપરાંત કોમન પ્લોટમાં જીમ, કલબ હાઉસ સહિતની કોમન એમીનીટીઝને પણ એફએસઆઈમાંથી મુકિત અપાઈ છે. ક્રેડાઈ નેશનલના ચેરમેન જક્ષય શાહે કહ્યું કે, આ જાહેરાતોને પગલે રિયલ એસ્ટેટમાં તેજી આવશે. રિયલ એસ્ટેટ પર નભતી 300 ઈન્ડસ્ટ્રીઝમાં પણ વેગ આવશે અને માર્કેટનુ સેન્ટીમેન્ટ પણ સુધરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.