સૂર્યગ્રહણને લઈને મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર, આટલા વાગ્યા સુધી મંદિરો રહેશે બંધ

26 ડિસેમ્બરના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. ત્યારે આ સૂર્યગ્રહણને લઈને મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાના જગતમંદિર, પાવાગઢ મંદિર, બહુચરાજી મંદિર, શામળાજી મંદિર તેમજ ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મોટા ભાગના મંદિર 26 ડિસેમ્બરે સવારે 11.30 વાગ્યા સુધી બંધ રહેશે. મંદિરમાં મંગળા આરતી તેમજ પ્રાતઃદર્શન નહીં થાય. અને ગ્રહણ દોષ ઉતાર્યા બાદ મંદિર ફરીથી ખુલ્લુ મુકાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.