બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ: 6 શખ્સોની ધરપકડ બાદ હવે વધુ એક મોટો ખુલાસો આવ્યો સામે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતા રાજ્યભરમાં ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને લઈ સરકાર ગંભીર થતા આખી પરીક્ષા રદ કરાઇ હતી સાથે તેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. જે હેઠળ સ્થાનિક પોલીસે બુધવારે 6 લોકોની ધરપકડ કરી છે. ત્યારે હવે ગુરુવારે બિનસચિવાલય પેપરલીકને લઈ વધુ એક મોટો અને નવો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં સમય પહેલા જ પરીક્ષાનું પેપર પહોચ્યું હતું. લાયબ્રેરીમાં પેપર સમય પહેલા જ વહેચાયું હોવાનો ખુલાસો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં ઉમેદાવારો ભેગા થઈને પેપર મેળવ્યું હતું એમ પણ માહિતી મળી છે. જોકે આ અંગે હાલ તપાસ ચાલુ છે. આ પહેલા પોલીસે પ્રાથમિક તપાસમાં એમ.એસ.પબ્લિક સ્કૂલના સંચાલક, શિક્ષક તથા આચાર્યની સંડોવણી હોવાનું પણ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ દાણીલીમડાની MS પબ્લિક સ્કૂલને DEOની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જે હેઠળ 7 દિવસમાં ખુલાશે મગાશે અને સંતોષકારક જવાબ ન મળે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપરલીક અંગે વિપક્ષી દળ કોંગ્રેસે તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પાર્ટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા છે. કોંગ્રેસે કહ્યું કે આરોપી ફારુક કુરેશી ભાજપનો કાર્યકર છે. આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉપરાંત કોંગ્રેસે કહ્યું કે સરકાર પરીક્ષાના નામે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવે છે. પેપરકાંડ અંગે કોંગ્રેસે જ પુરાવા આપ્યા હતા અને કોંગ્રેસે જ SIT તપાસની માગણી કરી હતી. ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.