બનાસકાંઠાના થરાદમાં બે દિકરીઓ સાથે પિતાએ મોતને કર્યું વ્હાલુ, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ…

બનાસકાંઠાના થરાદમાં પિતાએ બે દિકરી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સેરાઉ નજીક કૂવામાં ઝંપલાવીને પિતાએ દિકરી સાથે આપઘાત કર્યો અને આપઘાત કરવા પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી પરંતુ પોલીસે ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ તાલુકાના શેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ મંગળવારે સવારે તેમના ગામના શ્રી વાંકલ ગૌ શાળા વ્હોટસએપ ગ્રુપમાં પોતાની બે પુત્રી સાથેનો 9.51 મિનિટે ગામના તળાવમાં આવેલ કૂવા નજીક બેઠેલો ફોટો મૂક્યો હતો. જેમાં ઝેરી દવાની બોટલ પણ પડેલી દેખાતી હતી. ત્યારબાદ તેણે ઝેરી દવા પીને બન્ને દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.

ઘટનાને પગલે સમગ્ર ગ્રામજનો દોડી આવ્યા હતા અને કૂવામાંથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ એ જાણી શકાયુ નથી કે આપઘાત કર્યો કેમ. ગ્રામજનોના કહેવા પ્રમાણે ખેડૂત આર્થિક રીતે સુખી સંપન્ન હતો. વળી એવુ પણ જાણવા મળ્યુ છે કે એક દિકરી માનસિક અસ્થિર હતી. ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પત્ની સહિત પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે. એકા એક જ ઘરના મોભીએ દિકરીઓ સાથે મોતને વ્હાલુ કરવાની આ ઘટનાથી શોકની લાગણી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.