ભરૂચ શ્રવણ ચોકડી નજીક બેફામ દોડતી સીટી બસે શાકભાજી ની લારી ઉડાવી

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક બેફામ દોડતી સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો,શાકભાજી ની લારીમાં બસ ઘુસી જતા દોડધામ

 

 

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના સર્જઇ હતી,આ અકસ્માતમાં સીટી બસ ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા નજીક માં રહેલ શાકભાજીની લારી ધારક ને અડફેટે માં લિધો હતો,અકસ્માત ની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા,જે બાદ બસ નો ચાલક નશાની હાલત માં હોવાની બૂમ ઉઠતા ઉપસ્થિત લોકો અને ચાલક વચ્ચે થોડા સમય માટે ચકમક પણ સર્જાઈ હતી

 

અચાનક બનેલ ઘટનાના પગલે એક સમયે ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા,જોકે ઘટના બાદ લોક ટોળા જામતા થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સ્થિતિ નું સર્જન થયું હતું,મામલે ઉપસ્થિત લોકોએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે,

જોકે સમગ્ર ઘટના ક્રમ માં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે શ્રવણ ચોકડી આસપાસ ના વિસ્તારમાં છેલ્લા એક બે માસ દરમિયાન લકઝરી બસો દ્વારા થઇ રહેલા અકસ્માતો ની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,તેવામાં આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બાદ જે તે સ્થળે સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા મુકવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.