રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક પૂજારીને મળયોધમકીભર્યો પત્ર,મંદિર ખાલી કરો નહીંતર કન્હૈયાની જેમ તમારું….. ગળું કાપી નાખીશ’

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના MSJ કોલેજ પરિસરમાં બનેલા મંદિરના પૂજારીને ધમકીઓ મળી છે અને મંદિરમાંથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે જો તે મંદિર નહીં છોડે તો 10 દિવસમાં તેનું માથું કાપી નાખવામાં આવશે. મંદિરના પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તેમની વાતનું પાલન નહીં કરવામાં આવે તો પુજારીને પરિણામ ભોગવવા પડશે. જે બાદ જિલ્લાના હિન્દુવાદી સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલાના ખુલાસા બાદ લોકોનું કહેવું છે કે જો ગુનેગારોને જલ્દી પકડવામાં નહીં આવે તો ભરતપુરમાં પણ ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે.

કોલેજમાં બનેલા મંદિરના પૂજારીને આ રીતે જાહેરમાં ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. તો ત્યાર બાદ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આ મામલે કોલેજના ગેટને તાળા મારીને સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓએ કહ્યું કે “પોલીસે આ પત્ર ચોંટાડનારાઓ સુધી પહોંચીને વહેલી તકે મામલો જાહેર કરવો જોઈએ.” આ પત્રમાં જ્યારે ઉદયપુરની ઘટનાને ટાંકીને ધમકીઓ આપવામાં આવી હતી અને ત્યારે આ મામલો પણ આખા શહેરમાં વાયરલ થયો હતો.

ફરિયાદ મળ્યા બાદ હવે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમે મંદિર પર ચોંટાડેલા આ પત્રને હટાવીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસનું કહેવું છે કે સંશોધન બાદ જ આ મામલે કંઈ કહેવું યોગ્ય રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.