યક્ષ બોંતેર નજીક નખત્રાણા-ભુજ એસટી બસના ટાયરોમાંથી એક વ્હિલ છૂટું પડી જતા 50 મુસાફરોના જીવ અદ્ધર થયા

ભુજથી આજે રવિવારે સવારે 10.30 વાગ્યાના સમયે નખત્રાણા જવા માટે રવાના થયેલી નખત્રાણા-ભુજ રૂટની એસટી બસનું પાછળનું ટાયર યક્ષ બોંતેર પાસે જોટામાંથી છૂટું પડી જતા બસમાં ચિંતા ફેલાઈ ગઈ હતી સવારે 11.30ના અરસામાં બનેલી આ ચોંકાવનારી ઘટનાના પગલે બસમાં સવાર તમામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા.જેમાં બસચાલકે સમયસૂચકતા વાપરી બસને તુરંત થોભાવી દીધી હતી અને માર્ગની બાજુમાં ઉભી રાખી દીધી હતી અને જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકી ગઈ હતી.

ઘટના અંગે નખત્રાણા એસટી ડેપો મેનેજર એચ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે બસનું ટાયર તેના પાછળના જોટામાંથી નટબોલ્ટ નીકળી જતાં નીકયયયલી ગયું હતું પરંતુ તે બસના મડગારમાં ફસાઈ ગયું હતું. જેનો અવાજ આવતા તુરંત ડ્રાયવર દ્વારા બસને સાઈડમાં થોભાવી દેવામાં આવી હતી. તેમજ બસમાં સવાર 50 જેટલા મુસાફરો માટે તાકીદના ધોરણે બસ રીપેર કરાવી આપવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને કોઈજ પ્રકારની ઇજા પહોંચી નથી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.