Aadhaar Card Update: હજુપણ ફ્રી માં અપડેટ કરી શકશો આધાર, સરકારે ત્રણ મહિના વધારી ડેડલાઇન

How To Update Aadhaar: જો તમે પણ આધાર સેંટર પર જાવ છો તો તેના માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ગત વર્ષે સરકાર તરફથી ચેતાવણી આપવામાં આવી હતી જો કોઇ આધાર સર્વિસ પ્રોવાઇડર વધુ પૈસા લે છે તો તેને રોકી શકાય છે.

Aadhaar Card Update: જો તમે પણ તમારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારા માટે છે. જી હાં કેન્દ્ર સરકારે આધાર કાર્ડની ડિટેલ્સને ફ્રીમાં અપડેટ કરવાની ટાઇમ લાઇન વધારી દીધી ચેહ. હવે તમે આધાર કાર્ડને કોઇપણ ચાર્જ વિના 14 જૂન 2024 સુધી અપડેટ કરી શકો છો. પહેલાં આ સમય સીમા 14 માર્ચ સુધી હતી, હવે સરકરે તેને ત્રણ મહિના માટે એક્સટેંડ કરે દીધી છે. તેમછતાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) મફત ઓનલાઇન દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધાને 14 સુધી વધારી દીધી છે. યૂઆઇડીએઆઇ (UIDAI) તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સર્વિસ ફક્ત 14 જૂન સુધી myaadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું
>સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
> હવે તમારો આધાર નંબર અને આપેલ કેપ્ચા અહીં દાખલ કરો.
> ત્યારબાદ લિંક કરેલા મોબાઈલ નંબર માટે ‘Send OTP’ પર ક્લિક કરો.
> હવે ‘Update Demographics Data’નો વિકલ્પ પસંદ કરો.
> સંબંધિત વિકલ્પ પસંદ કર્યા પછી, ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
> તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તેનાથી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
> હવે સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા આપેલ માહિતીની ચકાસણી કરો.
કોઈપણ ફેરફારોને ટ્રેક કરવા માટે તમે ‘અપડેટ વિનંતી નંબર (URN)’ નો ઉપયોગ કરી શકો છો.

નોંધનીય છે કે જો તમે આધાર કાર્ડના દસ્તાવેજો અપડેટ કરવા માંગતા હો, તો તમને 14 જૂન સુધી જ myaadhaar પોર્ટલ પર મફત સુવિધા મળશે. જો તમે આધાર સેવા કેન્દ્ર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ગયા વર્ષે સરકારે ચેતવણી આપી હતી કે જો કોઈ આધાર સેવા પ્રદાતા વધારે ચાર્જ લે છે તો તેને રોકી શકાય છે. આટલું જ નહીં, તેમની નિમણૂક કરનાર રજિસ્ટ્રાર પર 50,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે સંસદમાં જણાવ્યું હતું કે યૂઆઇડીઆઇ (UIDAI) ને તમામ આધાર ઓપરેટરોને તેની સાથે જોડાયેલી જાણકારી આપી છે કે આધારની જાણકારી અપડેટ કરવા માટે ફી ન લે. તેમણે એ પણ કહ્યું હતું કે તેમછતાં વધુ પૈસા લેવાની ફરિયાદ મળે છે તો તેની તપાસ કરવામાં આવશે અને ફરિયાદ યોગ્ય મળતાં સંબંધિત આધાર નોંધણી રજીસ્ટ્રાર પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડરને થોડા સમય માટે કામ કરતાં રોકી શકાય છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ UIDAIને ઈ-મેલ દ્વારા અથવા ટોલ ફ્રી નંબર 1947 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.