આજે વૈકુંઠ ચતુર્દશી ભગવાન શિવે સોંપ્યો શ્રી વિષ્ણુને સૃષ્ટિનો ભાર, જાણો પૂજા વિધિ

કારતક મહિનાની સૂદ તિથિની ચૌદશને વૈકુંઠ ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુની પૂજાનો વિધાન છે. આ વખતે આ તહેવાર 10 નવેમ્બર, રવિવારના છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ સૃષ્ટિનો ભાર ભગવાન શિવને આપી દે છે. આ ચાર મહિનામાં સૃષ્ટિનું સંચાલન શિવ જ કરે છે. ચાર મહિના સૂઈને ઊઠ્યા પછી દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે અને વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન શંકર સૃષ્ટિનો ભાર ફરીથી ભગવાન વિષ્ણુને સોંપે છે. આ દિવસે શ્રીહરી વિષ્ણુની ઉપાસના કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે.
ક્યારે છે વૈકુંઠ ચતુર્દશી?

વૈકુંઠ ચતુર્દશી નિશીતાકાલ- રાત્રે 11 વાગે અને 39 મિનિટથી 12 કલાક 32 મિનિટ સુધી (11 નવેમ્બર 2019)

ચતુર્દશી તિથિ પ્રારંભ – સાંજે 4 વાગે 33 મિનિટથી (10 નવેમ્બર 2019)

ચતુર્દશી તિથિ સમાપ્ત – પછીના દિવસે સાંજે 6 વાગ્યાને 2 મિનીટ સુધી (11 નવેમ્બર 2019)

પુરાણો મુજબ, આ દિવસ કરેલું દાન, જાપ વગેરેનો 10 યજ્ઞો સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસ જો કૃતિકા નક્ષત્ર હોય તો આ મહાકાર્તિકી હોય છે, ભરણી હોય તો વિશેષ ફળ આપે છે અને જો રોહિણી હોય તો તેનું ફળ હજુ વધી જાય છે.

વૈકુંઠ ચતુર્દશીની પૂજાવિધિ
આ દિવસે સવારે સ્નાન વગેરે પતાવીને આખો દિવસ વ્રત રાખવું જોઈએ અને રાતમાં ભગવાન વિષ્ણુની કમળના ફૂલોથી પૂજા કરવી જોઈએ, તેના પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.