આજના દિવસે કેવીરીતે કરશો કેવડા ત્રીજ પૂજન, જાણો વિગતવાર પદ્ધતિ

કેવડા ત્રીજ એટલેહરિયાળી ત્રીજ આ દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ ૨૧મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ અને ચોમાસું આવતા ચોતરફ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરમ્પરાગત લોક ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત હરિયાળી ત્રીજનાં જ દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતાં. તો બીજી બાજુ આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમનાં પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે.

ઘણા સ્થાનોએ મહિલાઓ હરિયાળી ત્રીજનાં દિવસે ચંદ્ર દેવની પૂજા પણ કરે છે. આ ત્રીજ-તહેવારોમાંનો એક પર્વ છે. આ વૈશ્વિક મહામારી નાં સમય માં બહેનો ઘર માં રહી ને પૂજા કરી શકે છે. પૂજન માં આ બધી વસ્તુઓ નો ઉપયોગ થાય છે. કાળી ભીની માટી, વેલ પત્ર, શમીનાં પાન, કેળાનાં પાન, ધતૂરાનું ફૂલ અને પાન, અંકવ વૃક્ષનાં પાન, તુલસીનાં પાન, જનોઈ, નાડાછડી, નવા વસ્ત્રો, ફલોમાંથી બનેલી છત્રી, મહેંદી, ચૂડીઓ, પુજાપો, કંકુ, કાંસ્કો મ્હાવર, સુહાગનનાં શ્રૃંગારની વસ્તુઓ, શ્રીફળ, કળશ, તેલ અને ઘી, કપૂર, પંચામૃત

કેવી રીતે કરશો પૂજા ?

  • સંકલ્પ
  • પૂજા માટે સંકલ્પ કરો અને આ મંત્રનો જાપ કરો :
  • ઉમામહેશ્વરસાયુજ્ય સિદ્ધયે હરિતાલિકા વ્રતમહં કરિષ્યે
  • મૂર્તિ બનાવો અને પૂજનની શરુઆત કરો :
  • હરિયાળી ત્રીજની પૂજા સમયે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી પવિત્ર થઈ પૂજા કરો.
  • હવે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવો. પરમ્પરા મુજબ આ મૂર્તિઓ સુવર્ણની બનેલી હોવી જોઇએ, પરંતુ આપ કાળી માટીમાંથી પોતાનાં હાથોથી આ મૂર્તિઓ બનાવી શકો છો.
  • સુહાગ શ્રૃંગારની વસ્તુઓ સજાવો અને માતા પાર્વતીને તે અર્પિત કરો.
  • હવે ભગવાન શિવને વસ્ત્રો ભેંટ કરો.
  • આપ સુહાગ શ્રૃંગારની વસ્તુઓ અને વસ્ત્રો કોઇક બ્રાહ્મમણને દાન કરો
  • આ પછી પૂર્ણ શ્રદ્ધા સાથે હરિયાળી ત્રીજની કથા સાંભળો અને વાંચો.
  • કથા વાંચ્યા બાદ ભગવાન ગણેશની આરતી કરો. તે પછી ભગવાન શિવ અને પછી માતા પાર્વતીની આરતી કરો.
  • ત્રણેય દેવી-દેવતાઓની મૂર્તિઓની પરિક્રમા કરો અને પૂરા મનથી પ્રાર્થના કરો.
  • આખી રાત મનમાં પવિત્ર વિચારો રાખો અને ઈશ્વરની ભક્તિ કરો. આ સમ્પૂર્ણ રાત્રે આપે જાગરણ કરવું પડશે.

બીજા દિવસે સવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરો અને માતા પાર્વતીને સિંદૂર અર્પિત કરો. ભગવાનને કાકડી અને હલવાનો ભોગ ધરો. કાકડીથી પોતાનું વ્રત ખોલો. આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ આ તમામ વસ્તુઓને કોઇક પવિત્ર નદી કે તળાવમાં પ્રવાહિત કરી દો. આ પૂજા પતિનાં દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામનાની પૂર્તિ માટે કરવામાં આવે છે, તો અવિવાહિત કન્યાઓ પણ મનગમતો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.