આમળાનું સેવન જેમ, હેલ્થને ફાયદો કરે છે,તેમ જ તેનું વધારે સેવન,સર્જે છે આ સમસ્યાઓ…

આમળા વિટામીન સી અને એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર હોવાની સાથે હેલ્થને ફાયદો કરે છે પણ તેનું વધારે સેવન આ સમસ્યાઓ સર્જે છે.

આ સાથે વઘારે સેવનથી કબજિયાતની સમસ્યા રહે છે અને તબિયત બગડી શકે છે. એટલું નહીં જેને કબજિયાતની તકલીફ નથી તેને પણ પેટ ફૂલવાની અને પગમાં ગટ્ઠાની સમસ્યા થઈ શકે છે.

લો બ્લડ શુગરવાળાએ ન ખાવા
આમ તો એક રિસર્ચમાં કહેવાયું છે કે આમળા ડાયાબિટિસનો ઈલાજ કરી શકે છે કેમકે તેમાં એન્ટી ડાયાબિટિસ ઈફેક્ટ હોય છે જે બ્લડ ગ્લૂકોઝ લેવલને ઘટાડે છે. જો કોઈ વ્યક્તિને લો બ્લડ શુગરની તકલીફ હોય તો તેને માટે ચાલી રહેલી દવા સાથે આમળા ન ખાવા.

પ્રેગનન્સીમાં ન ખાવા
આમ તો આમળા ખાવાથી પ્રેગનન્સીમાં મુસ્કેલીઓ આવી શકે છે તેમ સાબિત થયું નથી પણ ગર્ભાવસ્થામાં આમળા ખાવું સેફ છે એ વાત પણ સાબિત થઈ નથી.

લોકો તેને ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ યૂઝ કરે છ. મોટી સંખ્યામાં લોકો હવે આમળાનો જ્યૂસ પણ પીવે છે. તેનો મુરબ્બો પણ યૂઝ કરે છે. વજન ઘટાડવાની સાથે સાથે અલ્સર અને કેન્સર જેવી બીમારીથી બચવામાં પણ આમળા મદદ કરે છે. પરંતુ જો તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી લેવાય તો તમે આ બીમારીઓનો શિકાર બની શકો છો.

શરદી અને ઉધરસમાં પણ ન ખાઓ 
આમળાની તાસીર ઠંડી માનવામાં આવે છે. આ કારણે તે શરીરના તાપમાનને ઘટાડે છે. જો તમે શરૂદ કે ખાંસી ધરાવો છો તો આમળાનું સેવન ન કરવું. તે તમારી હેલ્થને સુધારવાને બદલે તેને બગાડી શકે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.