AAP નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા અને નેતાઓ ને છોડાવવા જતા વકીલ ને પણ ડિટેન કરવામાં આવ્યા સમગ્ર રાજ્યના કાર્યકરો પર ચાંપતી નજર રાખવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી ( AAP ) ના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે . આજે આમ આદમી પાર્ટી ધરપકડ મામલે વધુ ઉગ્ર બને એ પહેલાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી AAP ના મોટા નેતાઓની અટકાયત શરૂ કરવામાં આવી છે.

AAP ના વકીલને જ ડિટેન કરી દીધા મોડી રાતથી જ પોલીસ તમામ AAP ના નેતાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી રાખ્યા છે ત્યારે ‘ આપ’ના નેતાઓને છોડાવવા માટે જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે . અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલિયાના જામીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતા . વકીલ દ્વારા જામીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં આવ્યા છે , પણ તેમને ડિટેન કરતાં હવે AAP ના કાર્યકરોના વકીલ કોણ બનશે એ સામે પ્રશ્ન ઊભો થયો છે.

AAP ના નેતાઓ કોર્ટમાં ફરિયાદ દાખલ કરશે

AAP ના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે . આ મામલે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી એ મામલે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગઈકાલે ખુદ પોલીસ જ અમારી વિરુદ્ધમાં હતી ત્યારે હવે પોલીસ પર જ અમને ભરોસો નથી , જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું જુદા જુદા જિલ્લામાંથી અટકાયત થયેલા AAP ના તમામ નેતાઓ અને કાર્યકરો આજે એક દિવસના પ્રતીક ધરણાં કરી ભાજપ સરકારની તાનાશાહીનો વિરોધ નોંધાવશે . સાબરકાંઠા જિલ્લામાંથી પોલીસે મોડી રાત્રે અને વહેલી સવારે AAP ના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા .

ધરપકડ કરાયેલા AAP ના નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી , રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે . AAP ના નેતા ઈસુદાન ગઢવી , નિખિલ સવાણી , પ્રવીણ રામ , ગોપાલ ઈટાલિયા , શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે . ગઈકાલે પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરાઈ હતી

તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે લઈ જવાયા હતા , જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરી દેવામાં આવી હતી . ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવી , ગોપાલ ઈટાલિયા , હસમુખ પટેલ , નિખિલ સવાણી , પ્રવીણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે 400 થી 500 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે , જેમાંથી 70 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે . ધરપકડ કરાયેલામાં 26 મહિલા પણ સામેલ છે . તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે . હવે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે .

મહિલા કાર્યકરોને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી કમલમ ખાતે વિરોધપ્રદર્શનમાં ગયેલી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પણ પોલીસે આ ગુનામાં ધરપકડ કરી હતી . મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી . મહિલા આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી તમામને જેલમાં મોકલવાનો હુકમ કરતાં ગઈકાલે મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.