AAPના સાંસદ સંજયસિંહ પહોંચ્યા સુરત,મોહન ડેલકરના પરિવારજનો સાથે કરશે મુલાકાત

AAPના સાંસદ સંજયસિંહ સુરત પહોંચ્યા હતા. સુરતમાં સંજયસિંહે VTV સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઇએ.

સુરતમાં AAPના વિજય મુદ્દે સંજયસિંહનું નિવેદન આપતા જણાવ્યું હતુ કે ચૂંટણીમાં ગુજરાતની જનતાને મજબૂત વિકલ્પ મળ્યો છે. AAP મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. દેશમાં બદલાવની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સંજયસિંહ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં વિધાનસભાની તમામ બેઠકો પરથી આપ ચૂંટણી લડશે.

પોલીસની તપાસમાં કોના નામ ખૂલે તે અટકળનો વિષય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર મોહન ડેલકરે સંસદમાં આપેલા એક નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે પોતાને થતી હેરાનગતિનો ઉલ્લેખ કર્યો છે. જોઈએ સ્યુસાઈડના તારના જોડાણ જેવા ડેલકરના આ નિવેદનનો આ વિડિયો કોના તરફ ઈશારો કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.