આતંકવાદ પર ભારત-જાપાને મિલાવ્યો હાથ, હવે થશે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ સાફ

ભારત અને જાપાનએ પોતાના વિદેશ અને રક્ષા મંત્રીયોના પ્રથમ ટુ-પ્લસ-ટુ ફોર્મેટ ડાયલોગમાં પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી વિસ્તારોથી કાયમી શાંતિ સામે મોટું જોખમ રહેલું છે તેવી ચિંતા બતાવી છે. બન્ને દેશોએ પાકિસ્તાનથી એક સ્વરે કહ્યું છે કે તે તેના ત્યાં ટેરર નેટવર્કસ પર આક્રમક અને નિર્ણાયક પગલા ભરે.

બન્ને દેશોએ પાકિસ્તાન સરકારથી વિશેષ રીતે આતંકવાદનો સામનો કરવાથી લઇ આંતરરાષ્ટ્રીય સમુદાયને આપેલ તમામ વચનો પર ખરા ઉતરવા માટે જણાવ્યું છે. જેમાં વૈશ્વિક આતંક વિરોધી સંસ્થા ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ જણાવેલ સુચનો પણ સામેલ છે. ટુ-પ્લસ-ટુ ફ્રેમવર્કની પ્રથમ વાતચીત પછી ભારત-જાપાનના સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતુ કે, ‘મંત્રિયોએ આ વાત પર ભાર મૂક્યો છે કે બધા દેશોએ આ મૂળભૂત રીતે એ નક્કી કરવું પડશે કે પોતાના દેશની ભૂમીનો ઉપયોગ અન્ય દેશમાં આતંકવાદી હુમલા માટે થવા દેવામાં આવશે નહીં.

ભારત અને જાપાનએ અન્ય બીજા બધા દેશોથી કહ્યું કે તેઓ તેમના ત્યાં આતંકવાદીઓનો વિકાસ થવા દેશે નહી. બન્ને દેશોએ આંતરાષ્ટ્રીય સમુદાયથી આતંકવાદીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેમના નેટવર્કસ, ફંડિંગ ચેનલ્સને તોડી પાડવાની સાથે-સાથે આતંકવાદીઓને સીમા પારની પ્રવૃત્તિઓ પર અવરોધ લગાવવાનું આહ્વાન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.