ગુજરાતની 3500 જેટલી કંપનીઓ પર આવી તવાઇ રજીસ્ટ્રેશન રદ કરી દેવામા આવ્યા જાણો વિગતવાર

ગુજરાતમાં કંપની બનાવીને હિસાબો નહીં આપનારા સંચાલકો સામે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની એવી 3500 જેટલી કંપનીઓ કે જેમને તાળાં લાગી ચૂક્યાં છે અને છેલ્લા બે વર્ષથી હિસાબ નહીં આપનારી કંપનીના સંચાલકોના રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે.

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની સૂચના હેઠળ, ગુજરાતની રજીસ્ટ્રાર ઓફ કંપનીઝે 2 વર્ષથી વાર્ષિક હિસાબ અને વાર્ષિક સરવૈયું રજૂ ન કરતી ગુજરાતની 3500થી વધુ કંપનીના રજીસ્ટ્રેશન રદ કરી દીધા છે. કલમ 10એ હેઠળ રજિસ્ટ્રેશન રદ કરાઈ હોય તેવી કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 180 દિવસમાં કોઈપણ ધંધો કે વ્યવસાય શરૂ ન કર્યો હોય તેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

આવી કંપનીઓની સંખ્યા 4000થી વધુ હોવાનો અંદાજ છે અને આવી કંપનીઓ છેલ્લા બે વર્ષથી રિટર્ન ફાઈલ અને વાર્ષિક સરવૈયા રજૂ કરવામાં નિષ્ફળ નિવડી છે. પરિણામે કંપનીના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે.

કંપની એક્ટ 2013 ની કલમ 137 અને 92માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ગુજરાતની બે હજાર જેટલી કંપનીઓ વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા બંધાયેલી છે. પરંતુ આ કંપનીઓએ તેમના વાર્ષિક સરવૈયા રજૂ કર્યા નથી. બીજી તરફ 2000 જેટલી કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 6 મહિનામાં કોઈ ધંધો ચાલુ કર્યો નથી અને પરિણામે 3500થી વધુ કંપનીના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે.

રજીસ્ટ્રેશન રદ કર્યા હોય તેવી કંપનીઓ પોતાની રજૂઆત કરવા માટે રજીસ્ટ્રાર ઓફ કંપનીનો સંપર્ક કરી શકે છે.અને તેમની રજૂઆત સાંભળ્યા પછી રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરવાનો વિચાર કરી શકાય તેવી શક્યતા છે. પરંતુ આ કંપનીઓ તરફથી કોઈ જ રજૂઆત કરવામાં નહીં આવે તો તેમના રજીસ્ટ્રેશન રદ ગણાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.