સલમાન ખાન બાદ સ્વરા ભાસ્કરને મળી જાનથી મારી નાખવાની ધમકી….

સલમાન ખાન બાદ હવે સ્વરા ભાસ્કરને તેના ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા એક અજાણ્યો પત્ર મળ્યો છે અને જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર અભિનેત્રીના મુંબઈના વર્સોવા સ્થિત ઘરે મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે પત્ર મળ્યા બાદ સ્વરાએ પોતે વર્સોવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેમણે કહ્યું, “ફરિયાદના આધારે, અમે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે.

સ્વરા ભાસ્કરને જે ધમકીભર્યો પત્ર મળ્યો છે તે હિન્દીમાં હાથેથી લખાયેલો છે. આ પત્રથી સ્વરાના જીવને સીધો ખતરો હતો. આ ધમકી અભિનેત્રીને સાવરકરનું અપમાન કરવા સામે ચેતવણી રૂપે આપવામાં આવ્યો હતો. સ્વરાને મળેલો પત્ર અપશબ્દોથી ભરેલો હતો અને પત્રના અંતે ‘યંગસ્ટર ઓફ ધીસ કન્ટ્રી’ તરીકે સહી કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશના યુવાનો વીર સાવરકરનું અપમાન સહન નહીં કરે.

સ્વરા ભાસ્કરે ઘણી વખત સમાજને પીડિત સામાજિક-રાજકીય મુદ્દાઓ વિશે હિંમતભેર વાત કરી છે. વર્ષ 2017માં, તેમણે એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું જેમાં લખ્યું હતું, “સાવરકર બ્રિટિશ સરકારની માફી માંગે છે. જેલમાંથી બહાર આવવાની વિનંતી કરે છે! આ ચોક્કસપણે ‘વીર’ નથી.” 2019 માં પણ અભિનેત્રીએ એક વિડિઓ સાથે બીજી ટ્વિટ પોસ્ટ કરી, “સૌથી કાયર ‘બહાદુર’ પ્રોડક્શન પ્લાન “વીર” સાવરકરને સમજો.”અને ઉલ્લેખીય છે કે તાજેતરમાં સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર ઉદયપુર હત્યાકાંડની નિંદા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.