અમદાવાદ: ખોદકામમાં સોના ચાંદીના સિક્કા મળ્યા! પછી જે થયું તેનાથી પોલીસ પણ ચોંકી

Ahmedabad News: સુરતમાં રહેતા નિકુંજભાઇ કાછડીયા ખુરશી, ગાદલા, ઓશીકાનો વેપાર કરે છે. ગત તા.16 ફેબ્રુઆરીએ નિકુંજભાઇના ભાગીદાર પર એક અજાણી વ્યક્તિએ મજૂરોનો ઠેકેદાર હોવાનું કહીને ફોન કર્યો હતો.

અમદાવાદ: સુરતના વેપારીને અજાણ્યા વ્યક્તિ સાથે સોનાના દાગીનાની ડીલ કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીને એક શખ્સે ફોન કરીને પોતે મજૂરોનો ઠેકેદાર હોવાની ઓળખ આપી હતી. બાદમાં ખોદકામ દરમિયાન રાજા રાણીના સિક્કા અને સોનાના દાગીના સહિત મુલ્યવાન વસ્તુઓ મળી હોવાનું કહેતા વેપારી તેને ખરીદવાની લાલચમાં આવી ગયા હતા. વેપારીએ આ દાગીના ખરીદવા માટે અલગ અલગ લોકો પાસેથી ઉછીના નાણાં લઇને 99 લાખ આપીને શખ્સ પાસેથી દાગીના લીધા હતા. બાદમાં તે સોની પાસે ખરાઇ કરાવતા દાગીના નકલી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં રહેતા નિકુંજભાઇ કાછડીયા ખુરશી, ગાદલા, ઓશીકાનો વેપાર કરે છે. ગત તા.16 ફેબ્રુઆરીએ નિકુંજભાઇના ભાગીદાર પર એક અજાણી વ્યક્તિએ મજૂરોનો ઠેકેદાર હોવાનું કહીને ફોન કર્યો હતો. જયેશ નામના શખ્સે ખોદકામ દરમિયાન સોના ચાંદીની વસ્તુ તથા રાજારાણીના સિક્કા મળ્યા હોવાથી તેના વેચાણ બાબતે વાત કરી હતી. બાદમાં નિકુંજભાઇએ ગઠિયા સાથે વાત કરતા તેણે પોતાની પાસે રાજા રાણીના સિક્કા, આઠેક કિલોના સોનાના પાવલી જેવા સિક્કા, બે અઢી કિલોની સોનાની માળા, હાથના કડા અને સોનાનો કમરપટ્ટો હોવાનું જણાવ્યુ હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.