અમદાવાદ: ફ્લેટમાં વહેલી સવારે અચાનક લાગી આગ, બાળકનું મોત

આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી અકબંધ છે. અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અમદાવાદ: શહેરના દાણીલીમડામાં આવેલા પટેલ વાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે બાળકો સહિત નવ જેટલા લોકોને અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ગોઝારી આગમાં એક નાનકડા બાળકનું મોત નીપજ્યુ હોવાની માહિતી મળી રહી છે. જોકે, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી અકબંધ છે. અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.