આજે 14 ફેબ્રુઆરી, પુલવામા હુમલાને થયું એક વર્ષ પૂર્ણ, છતાં સરકારના શહીદોને સહાય કરવાના ખોટા વાયદા અધૂરા

પુલવામા હુમલાને એક વર્ષ પૂરં થઈ ગયું છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો દ્વારા શહીદોના પરિવારજનોને મદદ કરવાની, શહીદોની યાદગીરી માટે કામ કરવાની મોટી મોટી બાંગો પોકારવામાં આવી હતી પણ આ બાંગો સાવ પોકળ હતી. આજે એક વર્ષે પણ મોટાભાગના શહીદોના પરિવારજનોને સરકારી સહાય મળી નથી અને જે વાયદા વાહવાહી મેળવવા કરવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી. ભાગલપુર જિલ્લાના રતનગંજના રહેવાસી શહીદ જવાન રતન ઠાકુરની યાદગીરીમાં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત સરકારે કરી હતી જે પૂરી નથી થઈ જેથી ગ્રામજનો હવે પોતાની રીતે સ્મારક બનાવશે એવી ચર્ચાએ જોર પકડયું છે. જે સહાયતાની જાહેરાત કરાઈ હતી તે અપાઈ છતાં ઘણા વાયદા સરકારે હજી પૂરી કર્યા નથી. શહીદ રતનના પિતા રામ ઠાકુરે જણાવ્યું કે, એક ખાનગી સંસ્થા દ્વારા મારા પૌત્રોને સારી શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવાનું કહેવાયું હતું જે હજી થયું નથી. સરકાર જે રીતે આ કેસમાં તપાસ કરી રહી છે તે પણ યોગ્ય નથી. અમને વળતર મળી ગયું છે છતાં સરકારના વલણથી પૂર્ણ સંતોષ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.