આતંકવાદી ખતરાને લઈને ગુજરાતની બોર્ડર પર એલર્ટ, અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી…

અલ કાયદા દ્વારા આતંકી હુમલાની ધમકીના IB ઈનપુટ રિપોર્ટ બાદ ગુજરાત રાજ્યની સરહદો પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના કારણે ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જે અંતર્ગત યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.અને યાત્રાધામ અંબાજી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ શક્તિપીઠ છે. ધમકી બાદ તમામ સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

અંબાજી મંદિરમાં પ્રવેશતા યાત્રાળુઓને સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે અંબાજી મંદિર પરિસરમાં મંદિરની સુરક્ષાને લઈને એસઆરપી, QRT મંદિરના અલગ-અલગ સઘન સુરક્ષા જવાનો, GISF તેમજ હોમગાર્ડના જવાનો ફરજ પર છે. તેમના તમામ મુદ્દાઓ અંબાજી પોલીસ દ્વારા દેખરેખ હેઠળ છે અને તેમને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા અંબાજી મંદિરમાં અત્યાધુનિક હથિયારો સાથે સઘન સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સ્ટાફને તૈયાર રહેવા અને તકેદારી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.તેમજ એટલું જ નહીં અંબાજી મંદિર પરિસરમાં 100 જેટલા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.અને તેના પર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.લિંબાચીયાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિર સંકુલમાં હાલના સ્તરે કોઈ નવો સ્ટાફ મૂકવામાં આવ્યો નથી, પરંતુ જો જરૂર પડશે તો વધુ નવા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ સાથે આતંકવાદી હુમલાની ધમકી બાદ પોલીસે બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પરથી પ્રવેશતા વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું છે. તે જ સમયે, પોલીસ મંદિર સંકુલ, બસ સ્ટેન્ડ અને શહેરના ભીડવાળા સ્થળો પર ચાંપતી નજર રાખી રહી છે. મંદિર પરિસરમાં પ્રવેશ પણ ચેકિંગ પછી જ આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.