અમદાવાદમાં એપ્રિલથી માર્ચ-2021 સુધી 40 રોજગાર મેળાનું આયોજન, અપાશે ઉપયોગી માહિતી

અમદાવાદ જિલ્લામાં એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે કુલ 40 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે.

મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ દ્વારા આગામી એપ્રિલ મહિનાથી શરૂ થતાં વર્ષથી અમદાવાદ શહેર અને જિલ્લાના દરેક તાલુકામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કઠવાડા, વટવા, નરોડા, ઓઢવ, ચાંગોદર ઉપરાંત સાણંદ, વિરમગામ, જીઆઈડીસી, માંડલ, દેત્રોજ, બાવળા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઈ, સાણંદ, વિરમગામ તાલુકામાં રોજગાર ભરતી મેળો યોજાશે.

મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ એસ. આર. વિજયવર્ગીયે જણાવ્યું છે કે, ‘બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના હેતુસર સમગ્ર કવાયત હાથ ધરાશે. અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વધુ ને વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ આયોજન હાથ ધરાયું છે.’

અમેરિકા,ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, સિંગાપોરમાં ઉચ્ચ અભ્યાસની તકો, ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશની પરીક્ષા આઈઈએલટીએસની માહિતી. આ પ્રવેશ પરીક્ષા ક્લીયર કરવા માટે કેટલા બેન્ડ લાવવા પડશે? જેવી ઉપયોગી માહિતી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.