અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ મંદિરની આજે સાંજે 4 વાગ્યે શિલાન્યાસ વિધિ,વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશે

અમદાવાદ: આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાશે. આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના ઘરેથી એકત્રિત કરીને લવાઈ હતી.

સવારે 8 વાગ્યે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાનું દાતાઓના હસ્તે પૂજન

સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ, તેમાં સંતો, મહંતો આર્શીવચનો આપશે.

સાંજે 5થી 7 મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થયા છે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

જાસપુર વિશ્વ ઉમિયા ધામ ખાતે વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશે. આ ટ્રી મ્યુઝિયમમાં 2 લાખ 51 હજાર વૃક્ષ ઉગાડવામાં આવશે. 3 હજાર જેટલા વૃક્ષ વિદેશથી મંગાવાશે આ મ્યુઝિયમનું 5 વીઘા જેટલી જગ્યામાં નિર્માણ પામશે. રાજ્યની સૌથી મોટી પાર્કિંગ જગ્યા પણ બનવાશે. આ મંદિરમાં 3500 જેટલા વાહનોનું પાર્કિંગ થઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.