અમદાવાદના મેયર છે કોમન મેન,અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે

અમદાવાદને વધુ એક કોમન મેન મેયર તરીકે મળ્યા છે. કાનાજી ઠાકોર બાદ અમદાવાદને બીજા કોમન મેન મેયર તરીકે મળ્યા છે. આજે નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે.

અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટ પરમારે કહ્યું કે, હું મેયર બંગલામાં રહીશ નહીં. હું સામાન્ય માણસ છું. કોર્પોરેશનના ભાડાના મકાનમાં રહું છું. હું અવિવાહિત છું એટલે બંગલાની જરૂર નથી. પ્રજા વચ્ચે રહીને પ્રજાના કામ કરીશ.

જેમાં અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલના નામ પર મહોર લગાવવામાં આવી છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટને શાસક પક્ષના નેતા તરીકે અને દંડક તરીકે અરુણસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે.

આવતીકાલે મનપાની સામાન્ય સભા મળવાની છે તે પેહલા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે મ્યુન્સિપલ સેક્રેટરી સમક્ષ 17 કોર્પોરેટરે ફોર્મ ભર્યા હતાં. જેમાં હિતેશ બારોટ, જૈનિક વકીલ, જતીન પટેલ અને પ્રિતિશ મેહતા પ્રબળ દાવેદાર છે. આવતીકાલ સામાન્ય સભામાં મેયરના નામ પર મહોર લાગ્યા બાદ અન્ય દાવેદારો ફોર્મ પરત ખેચશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.