રાજધાની દિલ્હી માં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ ની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી…

દેશ ની રાજધાની દિલ્હી માંઆજે 26 જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઘણી ખાસ વસ્તુઓ હશે. ઘણું બધું થશે જે પહેલીવાર થઈ રહ્યું છે અને આ વખતે અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાય પાસ્ટનું આયોજન કરાયું છે. જેમાં ભારતીય વાયુસેનાના 75 વિમાન ભાગ લેશે. સાથે સાથે અનેક સ્પર્ધાઓમાંથી પસાર થયેલા 480 નર્તકો આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે. તે જ સમયે, 75 મીટર લંબાઈના 10 સ્ક્રોલ પણ પ્રથમ વખત પરેડનો ભાગ હશે.

આ ઉપરાંત, પ્રથમ વખત, ભારતીય વાયુસેનાએ આ ફ્લાયપાસ્ટ બતાવવા માટે દૂરદર્શન સાથે સંકલન કર્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સ્વતંત્રતાના અમૃત મહોત્સવ તરીકે કરવામાં આવી રહી છે.અને દર્શકોને ધ્યાનમાં રાખીને રાજપથ પર 10 મોટી LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.

આ ફ્લાયપાસ્ટમાં એરફોર્સના આધુનિક એરક્રાફ્ટ રાફેલ, સુખાઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે, ડાકોટા પણ અલગ-અલગ કારનામા કરતા જોવા મળશે અને આ એરક્રાફ્ટ રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત પ્રદર્શિત કરશે. આ સિવાય પહેલીવાર રાજપથ પર 75 મીટર લંબાઇ અને 15 ફૂટ ઉંચાઇના દસ સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. આ સ્ક્રોલ સંરક્ષણ અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ‘કલા કુંભ’ કાર્યક્રમ દરમિયાન તૈયાર કરવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પ્રથમ વખત નર્તકોને દેશવ્યાપી સ્પર્ધાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ ‘વંદે ભારતમ’ દ્વારા 480 લોકોની પસંદગી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.