સાંતલપુર નજીક એસટી બસનો થયો અકસ્માત, 20 થી વધુ લોકો હતા વર્ષમાં સવાર..

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ તરફ આજે પાટણ જિલ્લાના સાંતલપુર નજીક એસટી બસને અકસ્માત નડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં 20થી વધુ પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે અને આ તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. નોંધનિય છે કે, ગઈકાલે પણ પાવાગઢમાં દર્શન કરવા આવેલી બસનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું.

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક એસટી બસને આજે અકસ્માત નડ્યો છે. વિગતો મુજબ રાપરથી વડોદરા જતી બસનો અકસ્માત થયો હતો. જેમાં હાઇવે પરથી પસાર થતાં ટ્રેલરે અચાનક બ્રેક મારતા બસ ટ્રેલર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 20 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે અને જેને લઈ તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાને લઈ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.