આવતી કાલે ભારત બંધનું એલાન.. દેશભરનાં ખેડૂત સંગઠનનો સક્રિય..

કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે દિલ્હીમાં જ છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન રહ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ દિલ્હી થી તારીખ ૨૭ મી ભારત બંધનું એલાન આપ્યું છે. ગુજરાતમાં ખેડૂત સંગઠન અને બંધના એલાનને સમર્થન આપી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ પણ ટેકો જાહેર કર્યો છે. જેના કારણે ગુજરાત પોલીસ અત્યારથી જ એલર્ટ બની ચૂકી છે.

ભારત બંધના એલાનને સફળ બનાવવા ગુજરાતના ખેડૂત સંગઠનો સક્રિય બન્યા છે. શનિવારે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા મરાઠા હોલમાં એક બેઠક મળી હતી. જેમાં કિસાન સંગઠનો ઉપરાંત સામાજીક સંસ્થાઓ, મહિલાઓ અને યુવા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખુશી કાયદા રદ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય કિસાન મોરચા એ ૨૭મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. તેને સફળ બનાવવા માટે બેઠક મળી હતી.

ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ ખેડૂતો સાથે થતાં અન્યાયમાં જોડાઈ ભાગીદાર બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.