પરેશ રાવલનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું “સસ્તા ગેસ સિલિન્ડરનું શું કરશો, બંગાળીઓ માટે ખાવાનું બનાવશો”

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ પછી 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા પરેશ રાવલ, જે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે અને તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેને કારણે તેમની આકરી ટીકા થઈ રહી છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા પરેશ રાવલ તેમની ભાજપના પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધિત કર્યા હતા અને આ દરમિયાન પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમોનો ઉલ્લેખ કરતા એક નિવેદન આપ્યું જેના પર હવે વિવાદ શરૂ થયો છે.

પરેશ રાવલે વલસાડમાં લોકોને સંબોધન ગુજરાતીમાં જ કર્યું. જેમાં તેમણે પ્રયાસ કર્યો કે તેઓ મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માંગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપી શકે. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, ‘ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તે સસ્તા થઈ જશે. લોકોને રોજગાર પણ મળી જશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે અને જેવું દિલ્હીમાં થઈ રહ્યું છે. પછી તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?

આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતના જનતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતના લોકો જનતા મોંઘવારી સહન કરી શકે છે પણ આ નહીં. વિપક્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ જે રીતે અપશબ્દો બોલે છે, તેમાંથી એક વ્યક્તિએ પોતાના મોં પર ડાયપર પહેરવાની જરૂર છે અને પરેશ રાવલના આ નિવેદનને લઈને હવે સખત વિવાદ ઉભો થયો છે અને વિપક્ષી નેતાઓ તેમની આકરી ટીકા કરી રહ્યા છે.

આ વીડિયો શેર કરીને તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદે અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટર પર લખ્યું, બાબુભાઈ આપ તો ઐસે ન થે… જો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ભારતમાં ઘૂસી જશે અને તો તેનો અર્થ છે કે ગૃહમંત્રી તરીકે તેમનું કામ સારી રીતે કરી શકતા નથી. કે પછી તમે એમ કહી રહ્યા છો કે BSF સરહદની સુરક્ષા યોગ્ય રીતે કરી શકતી નથી?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.