અંતરિક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સને લઈ ફરી એક મોટી અપડેટ..

Sunita Williams Latest News : બોઇંગ સ્ટારલાઇનરમાં હિલીયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓના કારણે સુનિતા વિલિયમ્સનું પરત આવવામાં વિલંબ, જો બધું બરાબર ચાલે છે તો વિલિયમ અને વિલ્મોર બંનેને સપ્ટેમ્બરમાં પૃથ્વી પર પાછા લાવી શકાય છે. પરંતુ NASAએ તારીખ આપી નથી.

Sunita Williams : અંતરિક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઘટના એવી બની કે, જુલાઈ 5, 2024ના દિવસે સુનીતા વિલિયમ્સ અને બેરી બૂચ વિલ્મોર કોઈક રીતે ખામીયુક્ત કેપ્સ્યુલ અથવા અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા. આ લોકોનો અહીં આઠ દિવસ રહેવાનો પ્લાન હતો જોકે ઉપર જતાં બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલને નુકસાન થયું હતું. જોકે NASA કહી રહ્યું છે કે, સપ્ટેમ્બરમાં તેમને પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ શક્ય છે કે, 8 દિવસની યાત્રા 8 મહિનામાં ફેરવાઈ જાય. આ લોકોએ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નીચે આવવું જોઈએ.

આવો આખી ઘટનાને જાણીએ નાના મુદ્દાઓમાં.

શા માટે વિલંબ થયો?

બોઇંગ સ્ટારલાઇનરમાં હિલીયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓના કારણે સુનિતા વિલિયમ્સનું પરત આવવામાં વિલંબ થયો છે.

ટૂંક સમયમાં ક્યારે પાછા આવશે ?

જો બધું બરાબર ચાલે છે તો વિલિયમ અને વિલ્મોર બંનેને સપ્ટેમ્બરમાં પૃથ્વી પર પાછા લાવી શકાય છે. પરંતુ NASAએ તારીખ આપી નથી.

શું છે ઈમરજન્સી પ્લાન?

જો સ્ટારલાઈનર કામ નહીં કરે તો સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન મિશન દ્વારા બંનેને પૃથ્વી પર લાવવામાં આવશે. પરંતુ આમાં ફેબ્રુઆરી 2025 સુધીનો સમય લાગી શકે છે.

અત્યારે શું છે સ્થિતિ ?

સુનીતા અને વિલ્મોર બંને સ્પેસ સ્ટેશન પર હાજર છે અને સ્વસ્થ છે. NASA સંશોધન કરી રહ્યું છે. બાકીના અવકાશયાત્રીઓને વિવિધ કાર્યોમાં મદદ કરી રહ્યા છે.

શું સ્પેસ સ્ટેશનમાં બંને માટે છ મહિના વધુ સમય પસાર કરવા માટે પૂરતી જગ્યા છે?

સુનીતા અને બૂચ વિલ્મોરને કોઈ ખતરો નથી. આ બંને સ્પેસ સ્ટેશન પર આગામી છ મહિના આરામથી વિતાવી શકશે. હાલમાં સાત અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર હાજર છે. આ પહેલીવાર નથી જ્યારે અવકાશયાત્રીઓને તેમની યાત્રા લંબાવવી પડી હોય. જોકે સ્ટેશન પર સુનીતાનું આ પહેલું અણધાર્યું લાંબું રોકાણ હશે.

સપ્ટેમ્બરમાં સુનીતા અને વિલ્મોર પૃથ્વી પર કેવી રીતે આવશે?

સપ્ટેમ્બરમાં એક અવકાશયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રી Axiom-4 મિશન હેઠળ SpaceX ના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા જશે. આ લોકો ત્યાં 14 દિવસ રોકાશે. એવી સંભાવના છે કે, જ્યારે આ કેપ્સ્યુલ પાછી આવશે ત્યારે સુનીતા અને બૂચ તેમાં પૃથ્વી પર પાછા ફરશે. જોકે NASAએ તેની આગળની યોજનાઓ શેર કરી નથી.

શું સ્પેસ સ્ટેશન પર આટલા બધા લોકો રહી શકશે ?

સ્પેસ સ્ટેશન પર હાલમાં સાત અવકાશયાત્રીઓ હાજર છે. તેમાં સુનીતા અને વિલ્મોર પણ છે. સ્પેસ સ્ટેશન એટલું મોટું છે કે તે હજુ પણ વધુ અવકાશયાત્રીઓને સંભાળી શકે છે. સપ્ટેમ્બરમાં જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે વધુ ત્રણ લોકો જશે. જેને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે પણ ડરવાની જરૂર નથી. સ્પેસ સ્ટેશનમાં છથી વધુ બેડરૂમ માટે જગ્યા છે. તેમાં છ સ્લીપિંગ ક્વાર્ટર છે. બે બાથરૂમ છે. એક જિમ છે.

અવકાશયાન કે જેના દ્વારા અવકાશયાત્રીઓ મુસાફરી કરે છે. તેઓ તેની સાથે જોડાયેલા રહે છે. જો વધુ મુસાફરો હોય તો તેમાં પણ સૂઈ શકે છે. તાજેતરમાં કાર્ગો સપ્લાય કરવામાં આવ્યો છે. જેથી અવકાશયાત્રીઓને ખાવા-પીવાની તંગીનો સામનો ન કરવો પડે. સુનીતા પરત ફરશે ત્યારે સ્ટેશનનો કચરો પણ અવકાશયાન સાથે આવશે. તે વાતાવરણમાં છોડવામાં આવે છે, જે બળી જાય છે. ગયા અઠવાડિયે જ, નોર્થ્રોપ ગ્રુમેનનું સિગ્નસ અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલું છે. તે પોતાની સાથે 3700 કિલો કાર્ગો લઈ ગયો છે. જેમાં ખાણીપીણી સહિત અન્ય ઘણી વસ્તુઓ છે. તે હજુ સુધી ખોલવામાં આવ્યું નથી. તેને પેક કરીને રાખવામાં આવે છે. તે જાન્યુઆરી સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે. આના દ્વારા પાછા લાવી શકાય નહીં.

શું અવકાશમાં આટલો લાંબો સમય પસાર કરવો યોગ્ય ?

8 થી 10 મહિના અવકાશમાં વિતાવવું એ સારી વાત નથી. પરંતુ ઘણા અવકાશયાત્રીઓએ આના કરતાં સ્પેસ સ્ટેશન પર વધુ સમય વિતાવ્યો છે. અવકાશમાં સૌથી વધુ દિવસો વિતાવવાનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી વેલેરી પોલિકોવના નામે છે. તેઓ મીર સ્પેસ સ્ટેશન પર 438 દિવસ રોકાયા હતા. જાન્યુઆરી 1994 થી માર્ચ 1995 સુધી. આ વખતે સુનીતા અને વિલ્મોર લગભગ 250 દિવસ પસાર કર્યા બાદ સ્પેસ સ્ટેશનથી પરત ફરશે. વિલિયમે અગાઉ 2006માં 196 દિવસ વિતાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.