અરૂણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા 5 યુવાનો ચીનમાંથી મળ્યા, ચીની સેનાએ કરી પુષ્ટિ

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું કે ચાઇનીઝ સેનાએ એ બાબતની પુષ્ટી કરી છે કે અરૂણાચલ પ્રદેશથી ગુમ થયેલા 5 યુવક તેમની પાસે છે, તેમણે મંગળવારે આ માહિતી આપતા કહ્યું કે ચીનની સેનાએ ભારતીય સેના દ્વારા હોટલાઇનથી મોકલવામાં આવેલા સંદેશનો જવાબ આપ્યો છે, તેમણે પુષ્ટી કરી છે કે ગુમ થયેલા યુવાનો તેમના વિસ્તારમાં મળી આવ્યા છે,યુવકોને ભારતને સોંપવાની પ્રક્રિયા પુરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અરૂણાચલ પ્રદેશનાં કોંગ્રેસી ધારાસભ્ય નિનોન્ગ એરિંગે ગયા સપ્તાહે દાવો કર્યો હતો કે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ અરૂણાચલ પ્રદેશનાં સીમાવર્તી વિસ્તારોથી 5 ભારતીયોને કથિત રીતે અપહરણ કર્યું છે, એરિંગએ પીએમઓને ટેગ કરીને ટ્વીટ કર્યું કે અરૂણાચલ પ્રદેશનાં સુબનસિરી જીલ્લાનાં 5 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, તેમણે ભારત સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન કિરેણ રિજિજુએ પણ અરૂણાચલ પ્રદેશનાં 5 નિવાસીઓને લઇને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતીય સેનાએ રવિવારે પોતાનાં પીએલએ સમકક્ષને હોટલાઇન સંદેશો માકલ્યો હતો જો કે એક દિવસ પહેલા જ ચીનનાં વિદેશ મંત્રાલયને જ્યારે આ સવાલ કરાયો તો તેમણે કહ્યું હતુ કે આ બાબતે તેમની પાસે જણાવવા માટે કાંઇ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.