જયપુરમાં લેન્ડ થતાની સાથે જ કોંગ્રેસના આ નેતાની ગુજરાત પોલીસે કરી ધરપકડ, મોરબી દુર્ઘટના સાથે જોડાયેલો છે કેસ

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી તેમજ એ દરમિયાન એમ કહેવામાં આવી રહ્યું છે કે ‘મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.’ ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાને કારણે 135 લોકોના મોત થયા હતા એ ઘટનાને પર ટ્વિટ કરવા બદલ સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સમયેતૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને બ્રાયનનું કહેવું છે કે એ વાતને લઈને હાલ ગુજરાત પોલીસ તેની ધરપકડ કરી છે

જણાવી દઈએ કે પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે સાકેત સોમવારે રાત્રે 9 વાગે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યો હતો અને ત્યાં ઉતરતાની સાથે જ સાકેતની રાહ જોઈ રહેલી ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી અને એ પછી મંગળવારે સવારે 2 વાગે એમને તેની માતાને ફોન કરીને પોતાના ધરપકડની જાણ કરી કરતાં લાહયું હતું કે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે.

આ સિવાય તેની ધરપકડ દરમિયાન પોલીસે તેને બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી અને એ પછી ફોન સહિતનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને આ વિશે વધુ વાત કરતાં બ્રાયને કહ્યું હતું કે, ‘મોરબી બ્રિજ દુર્ઘટના અંગે અમદાવાદ સાયબર સેલમાં તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ નહીં કરાવી શકે. આ સાથે જ તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.