બેંક ગ્રાહકો ખુશખબર: બેંક ખુલવાનો સમય બદલાયો,હવે કામ પુરુ કરવા માટે મળશે એકસ્ટ્રા ટાઈમ જાણો વિગતવાર..

બેંક ગ્રાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનું કામ પુરુ કરવા માટે વધું એક કલાકનો સમય મળશે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ 18 એપ્રિલ 2022 એટલે કે સોમવારથી બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે.અને હવે બેંક સવારે 9 વાગ્યે ખુલી જશે. જો કે, બેંક બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થયો નથી.

હકીકતમાં જોઈએ તો, કોરોના વાયરસ મહામારીના કારણે બેંકો દિવસમાં ખોલવાનો સમય ઘટાડી દીધો હતો. જેને હવે ફરીથી સામાન્ય કરવામાં આવ્યો છે.અને આ નવી સુવિધા 18 એપ્રિલથી લાગૂ થઈ જશે.

આરબીઆઈએ તમામ બેંકોને ટૂંક સમયમાં કાર્ડલેસ એટીએમ ટ્રાન્ઝેક્શન સુવિધા શરૂ કરવાની સૂચના પણ આપી છે. જેથી ગ્રાહકોને ટૂંક સમયમાં UPI દ્વારા બેંકો અને તેમના ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે. RBI કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવી રહી છે. આ કરવા માટે, યુપીઆઈ દ્વારા તમામ બેંકો અને તેમના એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે.

નિષ્ણાતોનું કહેવું છે કે, કાર્ડલેસ કેશ ટ્રાન્ઝેક્શનમાં એટીએમ પિનની જગ્યાએ મોબાઈલ પિનનો ઉપયોગ કરવામાં આવશે, જે એટીએમ દ્વારા છેતરપિંડી રોકવામાં મદદ કરશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન વ્યવહારોને સરળ બનાવશે અને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન કાર્ડ ક્લોનિંગ, કાર્ડની ચોરી અને અન્ય ઘણા પ્રકારની છેતરપિંડીઓને રોકવામાં મદદ કરશે.અને નોંધનીય છે કે SBI અને ICICI સહિત ઘણી બેંકો પહેલાથી જ કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.