બાવળિયા મંત્રી બનવાની ભાજપમાં જોડાયા, મંત્રી બનીને પોતાના ફાયદા માટે જ કામ કર્યું – નવનિયુક્ત અધ્યક્ષ…!

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની જવાબદારી માંથી કુંવરજી બાવળિયા મુક્ત થયા પછી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈને વિવાદ વકર્યો છે નવનિયુક્ત અધ્યક્ષે કહ્યું ,બાવળિયા એ સમાજને તોડવાનું કામ કર્યું છે. તેમની પ્રવૃત્તિ સંગઠન વિરોધી વિરોધી હતી જ્યારે બાવળીયા કરે છે, કે સમય આપી નહોતો શકતો એટલે પદ પરથી રાજીનામું આપ્યું છે.

એક બાજુ નું નવ નિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે દાવો કર્યો છે.કુવરજી મંત્રી બનવા ભાજપમાં જોડાયા હતાં. મંત્રી બની પોતાના લાભ માટે જ કામ કર્યું કુંવરજી બાવળીયાએ સમાજના ભાગલા પાડ્યા. સમાજના બંધારણ વિરોધ બાવળિયાએ કામ કર્યું. ત્રણ કાર્યકાળ પૂર્ણ થયા બાદ કોરોના ના કારણે બાવળીયાને એક વર્ષ માટેનું એક્સ્ટેશન અપાયુ હતું. એકસટેશન નો સમયગાળો પૂર્ણ થતાં પ્રમુખ પદુ ફરી દાવેદારી નોંધાવી ન હતી. કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં હાજર પણ નહોતા રહ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.