કોંગ્રેસનો હાથ પકડે તે પહેલાં પોતાની ઓફિસમાં લગાવેલું AC કનૈયા લઈ ગયો..

જે.એન.યુ ના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર મંગળવારે જીગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસમાં જોડાવા માટે ની હલચલ થઇ રહી છે. તે દરમ્યાન અહેવાલ એવાં છે કે, તેણે બે મહિના પહેલા પટનામાં CPI કચેરી અજય ભવનમાં રૂમમાં લગાવેલું પોતાનું એસી પણ કાઢી લઈ ગયા છે.હવે રુમમાંથી એસી બહાર કાઢવાની વાત સાથે, તે વધુ પુષ્ટિ પામી રહ્યું હોય તેવું લાગે છે.

સીપીઆઈનાં રાજય સચિવ રામનરેશ પાંડેએ જણાવ્યું હતું કે, કન્હૈયાનું એસી ઓફિસમાંથી લેવા માટે પરવાનગી આપી હતી. પરંતુ ઉમેર્યું હતું કે તેણે લગાવ્યું હતું, તેણે લઈ લીધું.

રામનરેશ પાંડેએ કહ્યું કે કન્હૈયા કુમારે પોતાના અને પોતાના લોકો માટે રાજ્ય કચેરીમાં પોતાના રૂમમાં એર કંડીશનર (AC) લગાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે તેણે એસી લઈ જવાની પરવાનગી પણ માંગી હતી. અમે તેમને કહ્યું કે આ તમારી મિલકત છે. તમે તેને લઈ જઈ શકો છો. કન્હૈયા કુમારે પોતાની પાર્ટીના વડાને કહ્યું કે તેણે બીજે ક્યાંક એક રૂમ લીધો છે, જ્યાં તે આ એસી લગાવશે.

કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો થઈ રહી છે. કાર્યક્રમો પણ લગભગ નિશ્ચિત છે, પરંતુ CPI ને તેના વિશે કોઈ માહિતી નથી. મંગળવારે કન્હૈયા કુમારને દિલ્હીમાં પાર્ટીના નેતાઓ દ્વારા રાહ જોવામાં આવી હતી કે, તેઓ આવે અને નિવેદન આપે, જેનો આદેશ CPI ના ટોચના નેતાઓએ આપ્યો હતો. જોકે, તેઓ લાચાર બન્યા છે. કન્હૈયા ત્યાં પહોંચ્યો જ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.