આ કેરી પાછળ ૦૬ કુતરા અને આટલાં સિકયોરિટી ગાર્ડ સાથે થાઈ છે ,આ ઝાડની સુરક્ષા.

ફળોનાં રાજા કેરી ન ફક્ત ભારત પણ આખી દુનિયામાં લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવે છે. વિભિન્ન જાતની કેરીનો ભાવ અલગ અલગ હોય છે. કેરીની સિઝનમાં કેરીનાં બાગની રખેવાળી થવી આપણાં દેશમાં એક સામાન્ય વાત છે. બાગમાંથી નીકળતા બાળકો કે આસ પાસથી જતાં લોકોનું મન ઝાડ પર લટકતી કેરીઓ જોઇને લલચાઇ જાય છે. એવાંમાં કેરીનાં બાગનાં માલિકની મજબૂરી હોય છે તે તેનાં બાગની રખેવાળી કરે કે કરાવે છે. પણ આપને જાણીને હેરાની થશે કે, મધ્યપ્રદેશનાં જબલપુરનાં બાગમાં કેટલીક કેરીની રખેવાળી માટે બાગનાં માલિકને એક બે નહીં પણ ચાર ચોકીદાર અને 6 કુતરાં તૈનાત કરવાં છે.

ખરેખરમાં મધ્ય પ્રદેશનાં જબલપુર શહેરનાં 25 કિલોમીટર દૂર નાનખેડાં ગામનાં સંકલ્પ પરિવાર નામનાં એક વ્યક્તિનો કેરીનો બગીચો છે. આ બાગમાં મિયાઝાકી કેરીનાં કેટલાંક ઝાડ છે. આ કેરીની એક જાત છે. કહેવાય છે કે, મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરીમાંથી એક હોય છે. બજારમાં તેનો ભાવ 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે. જોકે, બાગનાં માલિકનું કહેવું છે કે, હાલમાં તેમની પાસે 21,000 સુધીની ડિમાન્ડ આવી છે. પણ તે હાલમાં આ કેરીને વેંચશે નહીં. તેનું કહેવું છે કે, પહેલાં આ કેરી મહાકાલને સમર્પિત કરવામાં આવશે પછી જ તેનો વેપાર કરવામાં આવશે.

બાગનાં માલિક સંકલ્પ પરિવારનું કહેવું છે કે, ગત વર્ષે કેરી ચોરી થઇ ગઇ હતી. લોકો આવે છે જુએ છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આટલી સિક્યોરિટી રાખવામાં આવી છે. સંકલ્પનાં બગીચામાં 14 પ્રકારની કેરીનાં ઝાડ છે. આ ઉપરાંત બાગમાં દાડમ અને અન્ય ફળનાં પણ ઝાડ છે. મધ્ય પ્રદેશ બગીચા વિભાગનાં એક વરિષ્ટ અધિકારીનાં જણાવ્યાં મુજબ મિયાઝાકી  કેરી ભારતમાં ખુબજ દુર્લભ છે. તેનાં મોંઘા હોવાને કારણે તેની ઓછી આવક અને મીઠો સ્વાદ છે. આ કેરી ન ફક્ત જોવામાં અન્ય કેરીથી અલગ છે. પણ ઘણાં દશમાં તો લોકો આ આમને ગિફ્ટ તરીકે પણ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.