સોનૂ સુદ થશે આપ નાં… લોકોનાં મસીહા સોનુ સૂદ અને કેજરીવાલ વચ્ચે થઈ મુલાકાત.. થઈ છે આ વાતચીત..

અભિનેતા સોનૂ સુદ અને દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલની વચ્ચે શુક્રવારે સવારે મુલાકાત થઈ છે. સોનૂ સૂદ અને સીએમ કેજરીવાલ વચ્ચેની આ વાતને રાજકીય રંગ આપવાની કોશિશ થઈ રહી છે.

જો કે, આ મુલાકાતને લઈને અભિનેતા અથવા આમ આદમી પાર્ટી તરફથી કંઈ પણ કહેવામાં આવ્યું નથી. સોનૂ સૂદ કોરોના વાયરસની પ્રથમ લહેરથી લોકોને મદદ કરી રહ્યો છે. સોનૂ સૂદ અને કેજરીવાલની મુલાકાતને રાજકીય અથઁ પણ કાઢવામાં આવી રહ્યો છે.

જો કે, અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી આ બેઠક અંગે શું કહેવામાં આવ્યું નથી. તે જ સમયે, અમે આ બેઠકને પંજાબ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યાં છીએ.

કોરોના સમયગાળા દરમિયાન સોનુ સૂદના કામથી પ્રભાવિત થઈને તેમની મૂર્તિઓ ઘણી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે. તેમની આત્મકથામાં લખ્યું છે કે હું એક સામાન્ય માણસ છું, મસીહા નથી. આ માતા તરફથી મળેલા સંસ્કાર છે.

સોનુ સૂદ પંજાબના મોગાનો રહેવાસી છે. જો સોનુ આ સમયે આમ આદમી પાર્ટીમાં જોડાય, તો વિપક્ષ તરફથી તેના નામને લઈને કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. આમ આદમી પાર્ટી સોનુ સૂદને પંજાબમાં મોટા ચહેરા તરીકે લઈ શકે છે. સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, આમ આદમી પાર્ટી સોનુ સૂદને મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.