ભગવાન તરીકે લોકો જેને પુજે એ રજનીકાન્ત CAA પર આવું બોલ્યો, લોકોએ લતાડી નાખ્યો!

આખા દેશમાં હાલ માહોલ ગરમ છે. લોકો સરકારના CAA બિલના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. પહેલા પ્રદર્શન શાંતિપુર્ણ હતું પણ હવે તો હિંસા પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ બે દિવસથી હોબાળો મચી ગયો છે. માત્ર રસ્તા પર જ નહીં પણ સોશિયલ મીડિયામાં પણ એક અલગ જ પ્રકારનું યુદ્ધ છેડાયું છે. આ વચ્ચે બોલિવૂડ પણ પોતાની રાય રાખી રહ્યું છે. હવે સુપર સ્ટાર રજનીકાન્તે પણ એક વાત કહી છે કે જેમાં લોકોએ તેનો ઉધડો લીધો છે અને ટ્વીટર પર શરમ કરો એવું કહેવામાં આવી રહ્યું છે.

રજનીકાન્તે ટ્વીટર પર તમિલ ભાષામાં ટ્વીટ કરી. તેણે પહેલા તો CAA વિરોધમાં થતા પ્રદર્શનમાં થયેલી હિંસા પર દુખ વ્યક્ત કર્યું. દેશની જનતાને હિંસાથી દુર રહેવાની સલાહ આપી. રજનીકાન્તે લખ્યું કે, હાલની ઘટનામાં જે હિસા થઈ છે એ મને ખુબ જ દુખ આપનારી છે. હિંસા અને દંગો કરીને કોઈ વાતનું સોલ્યુશન આવે એ રીત ના અપનાવવી જોઈએ. હું ભારતના લોકોને એટલું જ કહીશ કે તે બધા એકસાથે રહે અને સુરક્ષા તેમજ હિતનું પુરુ ધ્યાન રાખે.

આ વાત કોઈને પસંદ આવી તો કોઈને ન આવી. આ વાતને લઈ ટ્વીટર પર #ShameOnYouSanghiRajini અને IStandWithRajinikanth જેવા બે ટેગ ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા. લોકોએ હિંસાની વિરોધમાં બોલનાર રજનીકાન્તના વખાણ પણ કર્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.