એવું શુ બન્યું કે, ભાઈએ પોતાના સગા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ, જાણો….

કપડવંજ તાલુકાના દંતાલી તાબે નવા રતનપુરા ગામે રહેતા તખતસિંહ સબુરભાઈ રાઠોડે (ઉં.વ.૪૧)ઘરવખરીની વસ્તુ લાવવા માટે બે દિવસ અગાઉ રુ.૧૫૦ પોતાના નાનાભાઈ ભરતભાઈ પાસેથી લીધા હતા.

જો કે બે દિવસ બાદ ગઈકાલે તા.૩-૨-૨૦૨૦ના રોજ સાંજના આઠેક વાગ્યાના સુમારે ભરતભાઈએ રુપિયાની ઉઘરાણી કરી હતી. જેથી તખતસિંહે અત્યારે મારી પાસે રુપિયા નથી, એક બે દિવસમાં આપી દઈશ તેમ કહેતા ભરત તેમને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને ઘરમાંથી લોખંડની પાઈપનો હાથો લઈ આવી માર મારવા લાગ્યો હતો

મૃતક તખતસિંહના ચારેક વર્ષ અગાઉ જમનાબેન સાથે લગ્ન થયા હતા. સંતાનમાં બે વર્ષની અને ચાર વર્ષની એમ બે નાનકડી દિકરીઓ છે. આ ઉપરાંત તખતસિંહ ત્રણ ભાઈઓમાં મોટાભાઈ હતા. જે પૈકી એક ભાઈ મૃત્યુ પામ્યા હોય તેમનો ૧૨ વર્ષનો દિકરાને પણ તેઓ જ પાલવતા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.