ભાજપના સાંસદ મનસુખ વસવા, અને BTP ના છોટુવસાવા, સામસામે કરી રહ્યા છે, આક્ષેપો પતિ આક્ષેપ

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાજ  ભરૂચ નર્મદા જિલ્લા BTP અને ભાજપ ના રાજકારણ માં ગરમાવો આવ્યો છે.

હાલ BTP એ AIMIM સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે ભાજપ ના સાંસદ મનસુખ વસાવા એ ઓવૈસી અને છોટુ વસાવાને ગાડાં છે કહી BTP પર પ્રહાર કર્યા હતા ત્યારે BTP ના છોટુ વસાવા એ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યા છોટુ વસાવા એ કહ્યું કે મનસુખજ એક દુઃખ છે.

સાથે છોટુ વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે બેરોજગારોની ભરતી નથી થતી પણ રાજકીય બેરોજગારોની ભરતી ચાલુ કરી છે જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથ.

બેરોજગારોની ભરતી નથી થતી પણ રાજકીય બેરોજગારોની ભરતી ચાલુ કરી છે જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથી ત્યારે ખેડૂત આંદોલન પણ કહ્યું કે આજે કિશાનોના આંદોલનના 80 દિવસ થવા આવ્યા પણ ઉકેલ સરકાર લાવતી નથી.

છોટુ વસાવા એ નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા કે નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે એટલે એનો નિકાલ થતો નથી અને આ આંદોલન નો નિકાલ નહિ આવે તો રાજકારણમાં વિસ્પોટ થશે જે રીતે ભારતમાં જે કોંગ્રેસની હાલત થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.