ભારતે મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ચીનને પછાડવાનો લીધો છે સંકલ્પ: રવિ શંકર પ્રસાદ

દૂરસંચાર અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે કહ્યુ કે ભારતે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના દ્વારા વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવાની સાથે જ મોબાઈલ વિનિર્માણના ક્ષેત્રમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. તેમણે કહ્યુ કે સરકાર બીજા ક્ષેત્રમાં પીએલઆઈ યોજનાના વિસ્તારથી ભારતને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનુ વિનિર્માણ કેન્દ્ર બનાવવા ઈચ્છે છે.

રવિશંકર પ્રસાદે ઉદ્યોગ સંઘ ફિક્કીના વાર્ષિક અધિવેશનમાં કહ્યુ, અમે ઈચ્છતા હતા કે ભારત દુનિયામાં બીજુ સૌથી મોટુ મોબાઈલ વિનિર્માતા બને. હવે હુ ભારતને ચીનથી આગળ વધવા પર જોર આપી રહ્યો છુ. આ મારૂ લક્ષ્ય છે અને હુ આને સ્પષ્ટ રીતે પરિભાષિત કરી રહ્યો છુ. ભારત 2017માં દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ વિનિર્માણ દેશ બની ગયો હતો.

ઈલેક્ટ્રૉનિક્સ પર રાષ્ટ્રીય નીતિ 2019માં 2025 સુધી ઈલેક્ટ્રૉનિક વિનિર્માણને વધારીને 26 લાખ કરોડ રૂપિયાથી વધારે કરવા પર જોર આપી દીધો છે. આમાંથી 13 લાખ કરોડ રૂપિયા મોબાઈલ વિનિર્માણ ખંડથી આવવાની આશા છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતને વૈકલ્પિક વિનિર્માણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે પીએલઆઈ યોજનાને લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પીએલઆઈનો હેતુ વિશ્વસનીય કંપનીઓને ભારતમાં લાવવા અને ભારતીય કંપનીઓને વિશ્વસ્તરીય બનાવવાનો છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએલઆઈ યોજના હેઠળ પાત્ર કંપનીઓને 48,000 કરોડ રૂપિયા સુધીનુ પ્રોત્સાહન મળી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.