ભારત સામે ઝેર ઓકતી વેળા ભરી સભામાં થઇ ગયી ઈમરાન ખાનની મજાક, જાણી તમે પણ હસી પડશો

ભારત સામે યુનાઈટેડ નેશન્સના મંચ પરથી ઝેર ઓકવાની લ્હાયમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને છબરડો વાળીને પોતાની જ આબરુ કાઢી હતી. ભરી સભામાં ઈમરાનનું ભારે પોપટ થયું હતું.

ઈમરાનખાને ભાષણમાં મારેલા લોચા બાદ ટ્વિટર પર ભારતીય યુઝર્સે ફરી એક વખત પાકિસ્તાનના વડાપ્રધાનની મજાક ઉડાવવાનુ શુ કર્યુ છે. ખરેખરમાં બન્યુ એવું હતુ કે, ઈમરાનખાને પોતાના ભાષણમાં ભારતની બૂરાઈ કરવાની લ્હાયમાં પીએમ મોદીને પ્રેસિડન્ટ મોદી તરીકે સંબોધન કરી નાંખ્યુ હતુ.

એ પછી સોશ્યલ મીડિયા યુઝરે ઈમરાનખાનની મજાક ઉડાવવા માંડી હતી.એક ટ્વિટર યુઝે લખ્યુ હતુ કે, ઈમરાનખાન પીએમ મોદીથી એટલા ડરેલા છે કે, તેમણે મોદીને ભારતના પ્રેસિડેન્ટ બનાવી દીધા છે. કેટલાક પાકિસ્તાની યુઝરે પણ ઈમરાનખાનની ભૂલ અંગે ધ્યાન દોરીને તેને સુધારવા માટે સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈમરાનખાને યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં 50 મિનિટના સંબોધનમાં પરમાણુ યુધ્ધની ધમકી આપી હતી.ઈમરાનખાનના ભાષણમાં કાશ્મીર સિવાય બીજો કોઈ મુદ્દો હતો નહી અને તેનાથી આંતરરાષ્ટ્રિય સમુદાય ખાસ પ્રભાવિત પણ થયો નહોતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.