ભારતીય ટીમ ઇંગ્લેન્ડના, પ્રથમ દાવના સ્કોર કરતાં, હજુ 321 રન પાછળ

ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાએ કરેલા કાઉન્ટર એટેક છતાં ભારતીય ટીમ 6 વિકેટે 257 રનના સ્કોર સાથે બેકફૂટ પર ધકેલાઇ છે. આજની ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રથમ દાવના સ્કોર કરતાં હજુ 321 રન પાછળ છે.

આજે સવારે ઇંગ્લેન્ડનો દાવ પુરો થયા પછી પ્રથમ દાવ લેવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 19 રન હતા ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. સારા ટચમાં દેખાતો શુભમન ગીલ 29 રન બનાવીને આઉટ થયો હતો .

પુજારા સાથે બેટિંગમાં જોડાયેલા પંતે તે પછી ઇંગ્લીશ સ્પિનર જેક લીચને નિશાન બનાવીને તડાફડી કરી હતી. બંનેએ મળીને પાંચમી વિકેટની 119 રનની ભાગીદારી કરી હતી. પંતે હંમેશ મુજબ નિડર બનીને બેટિંગ કરી હતી, જ્યારે પુજારાએ પણ અપેક્ષા કરતાં ઝડપી રમત બતાવી હતી.

સારી લયમાં જણાતો પુજારા કમનસીબ રીતે અંગત 73 રને આઉટ થયો હતો. પંત 91 રને હતો ત્યારે ડોમ બેસને વિથ ધ સ્પીન છગ્ગો મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. તે પછી સુંદર અને અશ્વિને સંયમિત રમત બતાવીને અંતિમ 17 ઓવરોમાં ભારતીય ટીમને વધુ કોઇ નુકસાન થવા દીધું નહોતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.