ભારત બાયોટેક બનાવી રહી છે રસી,સૌથી સારી દવા બનશે આ નેઝલ સ્પ્રે

કંપનીએ કહ્યું કે તેમનો આ સ્પ્રે કોરોનાથી બિમાર લોકોનો ઇલાજ કરવામાં કામ કરશે.

કેનેડાની કંપનીએ કહ્યું કે તેમનો નાકમાં નાખવાનો સ્પ્રે હવામાં જ કોરોનાવાયરસને ખત્મ કરવાનું  શરૂ કરી દીધુ છે. આ સિવાય નાકના રસ્તાથી તે ફેફસા સુધી તેને સાફ કરે છે. તેનું પરિક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે.

આ એક આંદોલનકારી દવા સાબિત થશે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોના વિરુદ્ધ નાકથી નાંખવાની આ દવાને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે.

કોરોના વાયરસના ઇલાજ માટે બનાવવામાં આવતી આ વેક્સિન સિરીંજથી નહી પરંતુ એક ટપકુ નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેક્સિનને અમેરિકા, જપાન અને યુરોપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની વાત પણ ચાલી રહી છે.

આ વેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેના ચેરમેન ડૉ. કૃષણા એલાએ કહ્યું કે અમે આ વેક્સિનની 100 કરોડ ડોઝ બનાવીશું જેના કારણે એક જ ડોઝમાં 100 કરોડ લોકોને કોરોના વાયરસ જેવી મહામારીથી બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.