બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિને લઇ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ મામલે સરકાર અને આંદોલનકારી ઉમેદવારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ અને યુવરાજસિંહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. રાજ્ય સરકારે બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકાર્યું છે અને SIT બનાવી તપાસના આદેશ આપ્યા છે. ચાર સિનિયર IAS અને IPS અધિકારીઓ SITના સભ્યો હશે. ત્યારે યુવરાજસિંહનું કહેવું છે કે SIT અમને સ્વિકાર્ય છે. પરંતુ ઉમેદવારો પોતાની માંગ પર અડગ છે.
- યુવરાજસિંહ સરકાર સાથે બેસી જતા રોષ
- હવે પછી આંદોલનનો કોઈ નેતા નહી: ઉમેદવારો
-
- તમામ જિલ્લાના એક-એક પ્રતિનિધિ નિમવા આયોજન
- પરીક્ષા રદ્દ થાય તો જ સરકાર સાથે વાતચીત: ઉમેદવારો
બે દિવસથી ગાંધીનગરને બાનમાં લેનાર બિનસચિવાલય પરીક્ષાના હજારો વિદ્યાર્થીઓ સામે અંતે રાજ્ય સરકારથી ઝૂકી છે. રાજ્ય સરકારે બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મુદ્દે SITની રચના કરવાની જાહેરાત કરી છે. પરંતુ આંદોલનકારી વિદ્યાર્થીઓ SITની રચનાથી સંતુષ્ટ નથી.
-
SIT અમને મંજૂર નહીં, આંદોલન યથાવત્ રહેશે
સરકાર અને ઉમેદવારની બેઠક બાદ પણ મહાત્મા મંદિર ખાતે હજુ પણ We Want Justiceના નારા લાગી રહ્યા છે. SITની વાત હોય કે કોઇ અન્ય બાબત હોય આંદોલનકારી વિદ્યાર્થીઓ આ નિર્ણય સ્વીકાર્યો નથી. આંદોલનકારીઓનું કહેવું છે કે, હવે ખુદ તમામ વિદ્યાર્થીઓ પોતે લડશું. યુવરાજસિંહનું પ્રતિનિધિત્વ નિષ્ફળ રહ્યું છે, પરંતુ અમે અમારૂ આંદોલન યથાવત્ રાખીશું. લેખિત પુરાવાઓ આપ્યા બાદ અમે આ જગ્યા છોડીશું. અમે ન્યાય માટે લડતા રહીશું. ખુદ અમે તમામ વિદ્યાર્થીઓ લડીશું. અમે અહીં પરીક્ષા રદ્દ કરીને જ ઘરે જઇશું. નહીં તો અમારી લાશ ઘરે જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.