સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની, દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે, મોટાપાયે શરૂ કરી તપાસ

સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે.

કોરોનાની મહામારીના ઓછાયા દૂર થયા નથી ત્યાં ફરી એકવખત બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે ગુરુવારે ઉચ્છલના હનુમાન ફળિયા સહિતના વિસ્તારમાં મરઘાંના મોતની ઘટનાથી તંત્ર દોડતું થઈ ગયું હતું.

તાપી જિલ્લામાં અલગ અલગ 70 જેટલાં પોલ્ટ્રીફાર્મમાં તપાસ હાથ ધરી હતી. અને જો કોઈ મરઘી કે કોઈ શંકાસ્પદ ચિન્હો જણાય અથવા તો કોઈ માંદગીનાં લક્ષણ જણાય તો પશુપાલન વિભાગને જાણ કરવા તાકીદ કરાઈ છે.

ગઈકાલે બારડોલી નજીક મઢીમાં ચાર કાગડાનાં મોત બાદ પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂને લઈને સતર્કતા દાખવી છે. આજે દિવસ દરમિયાન ઓલપાડ અને માંડવીમાં પાંચ પોલ્ટ્રીફાર્મમાં તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ તપાસમાં કોઈ ચિંતાજનક ચિન્હો, કારણો જાણવા મળ્યાં ન હતાં. જેના પગલે પશુપાલન વિભાગે રાહતનો દમ લીધો હતો. પોલ્ટ્રીફાર્મ સાથે પશુપાલન વિભાગે સંકલન પણ સાધી લીધું છે.

બર્ડ ફ્લૂની તપાસ માટે પક્ષીઓના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. જે રીતે કોરોનામાં વાયરસ લોડ જાણવા આ ટેસ્ટ કરાય છે, તે જ ટેસ્ટનો પ્રયોગ બર્ડ ફ્લૂમાં કરવામાં આવે છે.

પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે સામાન્ય હશે તો 72 કલાકમાં આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.