ભાજપ મહામંત્રીની પુત્રીએ કર્યો આપઘાત:પિતાએ ‘ નાપાસ કેમ થઈ?’ એમ કહેતાં આપઘાત કરી લીધો

ભાજપના ધારાસભ્ય હકુભા સહિતના અગ્રણીઓ હોસ્પિટલે પર દોડી ગયા, શહેરભરમાં ચકચાર

જામનગર ભાજપ મહામંત્રીની પુત્રીનો આપઘાત:પિતાએ ‘કેમ નાપાસ થઈ?’ એમ કહેતાં 12મુ ધોરણમાં ભણતી દીકરીને દુ:ખ લાગી આવ્યું, ઘરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

હોસ્પિટલ પર દોડી ગયેલા રાજકીય આગેવાનો.

ભાજપના ધારાસભ્ય હકુભા સહિતના અગ્રણીઓ હોસ્પિટલે પર દોડી ગયા, શહેરભરમાં ચકચાર

જામનગરમાં ધો.12 કોમર્સમાં નાપાસ થતાં શહેર ભાજપ મહામંત્રીની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ભારે ચકચાર જાગી છે. પિતાએ કેમ નાપાસ થઇ એમ કહેતાં લાગી આવતાં પુત્રીએ આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવની જાણ થતાં ભાજપના અગ્રણીઓ હોસ્પિટલે પર દોડી ગયા હતા.

શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-4 માં રહેતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાની 17 વર્ષની પુત્રી પ્રતીક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો, આથી તેને તાકીદે જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવની જાણ થતાં સિટી બી પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તરુણી ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતી હોઈ, પરીક્ષામાં નાપાસ થઇ હતી. આથી પિતાએ પરીક્ષામાં કેમ નાપાસ થઇ એમ કહેતાં લાગી આવતાં આપઘાત કરી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પરીક્ષામાં નાપાસ થતાં રાજકીય આગેવાનની પુત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં શહેરભરમાં અરેરાટી પ્રસરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.