PGVCLના કર્મચારી પર હુમલો કરનારા આરોપી ભાજપના નેતાની જામીન અરજી કોર્ટે રદ કરી..

તાજેતરમાં જ રાજકોટમાં પડધરીના PGVCLની ટીમ પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે ધીરુભાઈ તળપદા સહિતના આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે જેમાં PGVCL દ્વારા 8 લાખની વીજચોરી ઝડપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ભાજપના અગ્રણીના ઘરે પણ ચેકિંગ PGVCL દ્વારા કર્યું હોવાનું સામે આવ્યું હતું. ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદા સહિત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ PGVCLના અધિકારી પર હુમલો થયાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ તેમની ફેક્ટરીમાંથી વીજચોરી ઝડપી હોવાનો મામલો સામે આવ્યો હતો.અને PGVCLનો દાવો છે કે તેમને વીજ ચેકીંગ દરમિયાન 8 લાખની વીજ ચોરી ઝડપી છે.

ત્યારે વીજ ચોરી મામલે ભાજપ અગ્રણીના ઘરે પણ ચેકિંગ દરમિયાન પકડાઈ હોવાનું સામે આવ્યું છે.અને અગ્રણી ધીરુભાઈ તળપદા સહિત આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે.

સમગ્ર બાબતને લઈને રાજકોટમાં ફરી તેમની જામીન અરજી રદ્દ થઇ છે ભાજપના અગ્રણીની કરવામાં આવેલી જામીન અરજીને લઇને કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી. અને કડક કાર્યવાહી PGVCL દ્વારા કરવામાં આવી હતી તેઓના તરફથી સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી છતાં જામીન મળી શક્યા નહોતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.