ભાજપમાં ભંગાણ: વધુ એક મોટા નેતાના રાજીનામાંથી ખળભળાટ  

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને ઝટકો મળવાની પ્રક્રિયા ચાલુ છે. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે અને ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા અને વર્તમાન ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા અવતાર સિંહ ભડાના જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડીમાં સામેલ થઈ ગયા છે.

બુધવારે સવારે RLD ચીફ જયંત ચૌધરીએ અવતાર સિંહ ભડાનાનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને અવતાર સિંહ ભડાના મુઝફ્ફરનગરના મીરપુરના ધારાસભ્ય છે. 2017માં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા.પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. જો કે, તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું ન હતું કે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે અવતારસિંહ ભડાણાની ગણતરી ભાજપના ધારાસભ્ય તરીકે કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ તેઓ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હતા.

તેઓ RLD પહેલા ભાજપ અને કોંગ્રેસમાં પણ હતા અને તેઓ ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે અને મેરઠથી ચૂંટણી પણ જીત્યા છે. તમને જણાવી દઈએ કે બીજેપીમાં સ્વામી પ્રસાદના રાજીનામા બાદ ગઈ કાલે અન્ય ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. ત્યારથી ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.