BSNLના 1 લાખથી વધુ કર્મચારીઓ માટે ખૂશખબર! આજથી આ સ્કિમ લાગૂ પડશે

લાંબા સમયથી BSNL ઘણાં નાણાકીય સંકટથી ઝઝૂમી રહી હતી. હાલમાં જ સરકારે કંપનીને સંકટમાંથી બચાવવા માટે 15 હજાર કરોડ રૂપિયાની નાણાકીય રાહત પેકેજ આપવાનું એલાન કર્યું છે. એ પણ કહેવામાં આવ્યું છે કે પોતાના કર્મચારીઓને આકર્ષક VRS ઑફર પણ આપશે. BSNLના 1 લાખથી વધુ કર્મીઓ માટે ખૂશખબર! આજથી આ સ્કિમ લાગૂ પડશે..

ધ હિન્દુ બિઝનેસ લાઈને પોતાનાએક રિપૉર્ટમાં કહ્યું હતું કે સોમવારથી નાણાકીય કર્મચારીઓ માટે VRS વિન્ડો ખોલવામાં આવશે. તેનો અર્થ એ છે કે જે કર્મચારી રિટાયર્મેન્ટથી પહેલાં જ પોતાની મરજીથી રિટાયર થવા ઈચ્છતા હોય તો તેઓ રિટાયર્મેન્ટ લઈ શકે છે. BSNL ને આશા છે કે 50 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ વીઆરએસ માટે જરૂર એપ્લિકેશન આપશે.

આ રિપૉર્ટ અનુસાર BSNL આ VRS વિન્ડો સોમવારથી લઈને આગળના 30 દિવસ માટે ખોલશે. આ વખતે સમયથી પહેલા રિટાયર થવા ઈચ્છતા કર્મચારીઓ આ સ્કિમ માટે આવેદન કરી શકે છે. કંપનીના મેનેજમેન્ટ અને યૂનિયને પણ કર્મચારીઓને આ માટે અપીલ કરી છે.BSNL ના આ સ્કિમમાં કર્મચારીઓને નોકરીના બચેલા વર્ષોના 100 થી 125 ટકા સેલરી આપવામાં આવશે. જેમાં પેન્શન પણ શામેલ છે. તેને અમલમાં લાવવા માટે લગભગ 3 મહીનાનો સમય લાગશે. કંપનીની સર્વિસ પર તેની કોઈ જ અસર નહીં પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.