CAA પર પ્રદર્શનો વચ્ચે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું- યુનિવર્સિટી માત્ર ઈંટ-ગારાની ઈમારતો નથી

 નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મુદ્દે દેશભરની યુનિવર્સિટીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ચીફ જસ્ટિસ અરવિંદ શરદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. નાગપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું, યુનિવર્સિટી કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે.

તેમણે કહ્યું, યુનિવર્સિટી માત્ર ઈંટ અને ગારાથી બનેલી ઈમારત નથી. નિશ્ચિત રીતે તે કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે. આપણે એક સમાજ તરીકે શું મેળવવા ઈચ્છીએ છીએ તે યુનિવર્સિટીનો વિચાર દર્શાવે છે.

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મુદ્દે જેએનયુ, જામિયા અને એએમયૂ સહિત દેશની ઘણી યુનિવર્સિટીમાં દેખાવો થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.