સાવધાન! દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે! ઓમિક્રોન ના કેસ 1500 પાર થયા જેમાં ગુજરાત ત્રીજા નંબર પર જાણો વધુ વિગતો..

કોરોનાનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં કેસ સંખ્યા જે ઝડપથી વધી રહી છે તે જોતાં હવે ત્રીજી લહેર બેકાબૂ બનશે તેવી આશંકા છે અને હાલ તો કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 1500 ને પાર પહોંચી ગયા હોવાથી સ્વાસ્થ્ય મંત્રાલય સહિત રાજ્યોના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 27 હજાર 553 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 284 લોકો મૃત્યુ પામ્યા હતા અને દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 1525 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં કુલ 4 લાખ 81 હજાર 770 લોકોના મોત થયા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને એક લાખ 22 હજાર 801 થઈ ગઈ છે. અને કોરોનાનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 81 હજાર 770 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે 9249 દર્દીઓની રિકવરી થઈ હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 42 લાખ 84 હજાર 561 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને ગઈકાલે 25 લાખ 75 હજાર 225 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 145 કરોડ 44 લાખ 13 હજાર 5 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં 1525 લોકો Omicron વેરિયન્ટથી સંક્રમિત થયા છે. દેશમાં આ પ્રકારથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે અને સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. આ પછી ગુજરાત ત્રીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 460 લોકો, દિલ્હીમાં 351 અને ગુજરાતમાં 136 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.